5 મે પ્રથમ કેસ જૂનાગઢમાં આવતા જ ડોક્ટર અને પોલીસતંત્ર સજાગ તો થયું પણ લોકડાઉન ખુલતા જ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસના બંધોબસ્તમાં ખૂબ ઘટાડો જોવા મળ્યો છે.
Lock down પહેલા મધુરમ બાયપાસે જ પોલીસ ખૂબ જ સજાગ રહેતી દરેકની પૂછપરછ થતી અને યોગ્ય કારણ હોય તો જ જૂનાગઢ શહેરમાં આવવા મંજૂરી આપતા, પરંતુ જેવું લોકડાઉન માં રાહત કરવામાં આવી પોલીસ બંધોબસ્ત ખૂબ જ ઘટી ગયો, કોઈ વ્યક્તિ સાથે પૂછપરછ થતી નથી. જેમ લાગે કે કોરોના વાઇરસ દુનિયામાંથી ખતમ થઈ ગયો હોય તેમ જૂનાગઢની બજારો જોવા મળે છે.
આ પોસ્ટ લખવાનું કારણ આજના ચોવીસ કલાકમાં આવેલ 24 કેસો છે. જે ગઈ ચોવીસ કલાકમાં 7 કેસો જ હતા. એક જ દિવસમાં લગભગ ત્રણ ગણા કેસો વધવાને નજરઅંદાજ ન કરી શકાય.
મારી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી તેમજ જૂનાગઢ કલેક્ટરશ્રી અને એસ.પી. સરને નમ્ર વિનંતી કે આપ ફરીથી પૂરતો બંધોબસ્ત ગોઠવી યોગ્ય કોરોના ટેસ્ટ કરાવી આ વધતી મહામારીને અટકાવો.
આભાર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો